Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર- હાંસોટ પંથકમાં પ્રથમ નોરતે જ મેઘરાજાનું આગમન, પવન સાથે ધોધમાર વરસાદ

Share

નવરાત્રિના પ્રથમ નોર તેજ મેઘરાજાની એન્ટ્રી થઈ છે અંકલેશ્વર અને હાંસોટ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદ વરસતા ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે.આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે તારીખ 27મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. હાંસોટ પંથકમાં ગતરોજ પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે પ્રથમ નોરતે જ વરસાદ વરસતા શેરીઓ અને ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયા હતા

Advertisement

Share

Related posts

મહીસાગર નદીમાં પાણીની સપાટીમાં ઘટાડો થતાં પૌરાણિક નદીનાથ મહાદેવનુ શિવલિંગ દ્રશ્યમાન થયું : શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધીજી ની ૧૫૦મી પુણ્યતિથિ ઉજવણી કરી રહી છે ત્યારે: ગોધરા શહેરમાં આવેલ ગાંધી આશ્રમ વિકાસ ઝંખે છે?

ProudOfGujarat

BDMA ને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમુખ હરીશ જોષીને સન્માનિત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!