વાંકલ::
કાલાવડ(મોટીફળી) ના યુવાનો એ ટકાવી રાખી ઘેર પ્રથા. માંગરોળ તાલુકાના કાલાવડ ગામના યુવાનો દર વર્ષે ઘેર બાંધે છે. વિવિધ ગામોમાં ઘરે ઘરે જઈ ગરબા રમે છે. વડવાઓની માન્યતા પ્રમાણે ઘેર ધારણ કરનાર વ્યક્તિને માતાજી નું નામ સ્મરણ કરીને જુવારના દાણા કેડે કંદોરા માં બાંધી દેવામાં આવે છે. જેનાથી કોઈની બૂરી નજર લાગતી નથી. ઘેરૈયા ને ઘરમાં ગરબા ગાવા થી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે એવી માન્યતા છે. ઘેર પ્રથા લુપ્ત થવાને આરે છે.મોટીફળી ગામના યુવાનો એ ઘેર પ્રથા ટકાવી રાખી છે. નવ દીવસ સુધી ગામેગામ ફરીને માતાજી ગરબા ગુમશે.શેરી મહોલ્લામાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.
Advertisement
