Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : માત્ર 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારાયુ….બાળકીનાં પિતાએ નરાધમને મોતને ઘાટ ઉતાર્યો…

Share

અંકલેશ્વરનાં ગ્રામ્ય વિસ્તારમાં એક માત્ર પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરાયું તો બાળકીના પિતાએ નરાધમને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અંકલેશ્વરનાં એક ગ્રામ્ય વિસ્તારમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો. બાળકીનાં ગુપ્તાંગ ઉપરથી લોહી નીકળતા પરંતુ દુષ્કર્મ કરનાર ઝડપાઇ જતા બાળકીનાં પિતાએ નરાધમને ઢોર માર માર્યો હતો. જેથી ઘટનામાં સામેલ આરોપીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. અંકલેશ્વર શહેર પોલીસે બાળકીનાં પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અંકલેશ્વર પંથકમાં સગીર બાળકી સાથે છેડછાડ અને દુષ્કર્મનાં બનાવો વધી રહ્યા છે તંત્ર દ્વારા આ સમસ્યા અંગે યોગ્ય પગલાં લેવા જરૂરી થઈ ગયા છે. સગીર કન્યાનાં વાલીઓ સતત ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે. ઘટનામાં સામેલ આરોપીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ ઈલેકશન મેનેજમેન્ટ કોંગ્રેસમાં સંદીપ માંગરોલાની નિમણૂક.

ProudOfGujarat

અંકલેશ્વર નિલેષ ચોકડી ખાતેના ઓવર બ્રિજ નીચે થી અજાણ્યા ઈશમ નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર ને જોડતા માર્ગ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!