Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : માત્ર 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારાયુ….બાળકીનાં પિતાએ નરાધમને મોતને ઘાટ ઉતાર્યો…

Share

અંકલેશ્વરનાં ગ્રામ્ય વિસ્તારમાં એક માત્ર પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરાયું તો બાળકીના પિતાએ નરાધમને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અંકલેશ્વરનાં એક ગ્રામ્ય વિસ્તારમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો. બાળકીનાં ગુપ્તાંગ ઉપરથી લોહી નીકળતા પરંતુ દુષ્કર્મ કરનાર ઝડપાઇ જતા બાળકીનાં પિતાએ નરાધમને ઢોર માર માર્યો હતો. જેથી ઘટનામાં સામેલ આરોપીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. અંકલેશ્વર શહેર પોલીસે બાળકીનાં પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અંકલેશ્વર પંથકમાં સગીર બાળકી સાથે છેડછાડ અને દુષ્કર્મનાં બનાવો વધી રહ્યા છે તંત્ર દ્વારા આ સમસ્યા અંગે યોગ્ય પગલાં લેવા જરૂરી થઈ ગયા છે. સગીર કન્યાનાં વાલીઓ સતત ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે. ઘટનામાં સામેલ આરોપીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ગોરાટીયા ગામના યુવકને પ્રેમ પ્રકરણ બાબતે ત્રણ યુવકોએ માર માર્યો

ProudOfGujarat

વડોદરા : નંદેસરીની ઓરિએન્ટલ કંપનીમાં મોરના મૃત્યુ મામલે પી.એમ રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે.

ProudOfGujarat

ગોધરા સહિત તાલુકામાં મેઘરાજાની પધરામણી,વાતાવરણમા ઠંડકનો અહેસાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!