Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં દશેરા પર્વે ફૂલ વેપારીઓ પર મંદીનો માહોલ

Share

ભરૂચ જિલ્લાભરમાં આજે દશેરા પર્વની ઉજવણી થઈ રહી છે. દશેરા દિવસે પરંપરા મુજબ ઘરોમાં ભગવાનને ફૂલહારમાં પૂજવામાં આવે છે તેમજ વાહનોમાં પણ ફૂલોના હાર અને ગુલાબનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવસે ફૂલ વેપારીઓનો ધંધો તેજી પકડતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ બિલકુલ જ વીરાન જોવા મળી રહી છે.ફૂલ વેપારીઓના જણાવ્યા મુજબ, જે ગોટા અગાઉ 70થી 80 રૂપિયા કિલો સુધીમાં વેચાતા હતા, તે હવે 10થી 20 રૂપિયામાં પણ ખરીદદાર મળતા નથી. એટલું જ નહીં, ગુલાબ જે 200થી 250 રૂપિયા કિલો સુધીના ભાવમાં વેચાતા હતા, તે હવે 100 રૂપિયામાં પણ લોકો લેવા રાજી નથી.પરિણામે, હાલ ભરૂચ શહેરના ફૂલ માર્કેટમાં ભારે મંદીનો માહોલ છે. વેપારીઓ પાસે અંદાજે 5,000 કિલો કરતાં વધુ ગોટા સ્ટોકમાં પડી રહ્યા છે, પરંતુ ખરીદદારોના અભાવે ફૂલ બગડવાની કગાર પર છે. વેપારીઓએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે જો આ જ સ્થિતિ રહેશે તો અમારે ફૂલ ફેંકી દેવાનો વારો આવશે.હાલમાં વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે આવનારી દિવાળી પર ફૂલના ધંધામાં તેજી આવશે અને હાલની મંદીમાંથી રાહત મળશે.

બાઈટ..દિનેશ સોની ..ફુલો ના વેપારી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ફાયર ફાઈટર ભાઈઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના કવિઠા થી ઉમરા તરફના રસ્તા પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીને ઝડપી પાડતી નબીપુર પોલીસ

ProudOfGujarat

સુરતથી અંબાજી સુધી 480 કિમીની સ્કેટિંગ યાત્રા પર વરાછાના બે બાળકોએ મૂક્યા દ્રઢ પગલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!