ભરૂચ.
નિકોરા ગામે બસ સ્ટેન્ડ ફળિયા વિસ્તારમાં રહેતાં જશવંત છીતુ આહિર બપોરના બે વાગ્યાના અરસામાં ભાગોળિયા વગામાં આવેલાં વિજય બાલુ આહિરના ખેતરમાં ફુલોનું વાવેતર કર્યું હોઇ ત્યાં ગયાં હતાં. સાંજે સાતેક વાગ્યે તેઓ પરત આવતાં હતાં. તે વેળાં ભાથીજી મંદિર સામે તેમના ફળિયામાં રહેતાં અજય ઠાકોર માછીપેલ તેને મળતાં જશવંતે તેને મારા ફુલોના ખેતરમાં પાણી લેવાનું છે. તો તારા બોરનું પાણી મને આપજે તેમ કહેતાં અજયે અચાનક ઉશ્કેરાઇ જઇ હું તને પાણી આપવાનો નથી. તેમ કહીં તેની સાથે ઝઘડો કર્યો હતો. અને ઉશ્કેરાઇ જઇ ટ્રેકટરનું પનું તેના માથામાં મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકો દોડી આવતાં તેમનો ઝઘડો છોડાવી ઇજાગ્રસ્ત જશવંતને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બનાવ સંદર્ભે તેણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નિકોરા ગામે ખેતરમાં પાણી આપવા મુદ્દે તકરારમાં યુવાન પર હુમલો
Advertisement
