ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બૌડા) દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી વિહારધામ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટ પર કરવામાં આવ્યું હતું.આ દબાણ દૂર કરવા માટે અક્ષયકુમાર પટેલ નામના વ્યક્તિ દ્વારા બૌડા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ બૌડા દ્વારા દબાણકર્તાઓને ગેરકાયદે દબાણ હટાવવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતીનોટિસ આપ્યા છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન કરતાં, આજે બૌડાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement
