ભરૂચ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જેલ સુધારાત્મક વહીવટી તંત્ર દ્વારા અહિંસા થી એકતા તરફ અંકલેશ્વરની સબ જેલમાં કેદીઓ અને જેલના સ્ટાફને યોગાભ્યાસથી સકારાત્મક બદલાવ લાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. ભરૂચ ડિસ્ટ્રીક કોડીનેટર કામિનાબા રાજના માર્ગદર્શન હેઠળ યોગ કોચ વિરેન્દ્રભાઈ અને યોગ ટ્રેનર દ્વારા જેલના કેદીઓની માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આવે તેના માટે યોગાભ્યાસ અને મેડિટેશન દ્વારા સકારાત્મક બદલાવ લાવી જ્યારે તેમની સજા માંથી મુક્તિ મળે અને બહાર આવી ને સારા નાગરિક તરીકે જીવન વિતાવે એ ઉદેશ્ય થી ૩૧ ઓકટોબર ૨૫ સુધી તાલીમ આપવામાં આવશે.
Advertisement
