Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની સબ જેલમાં આગામી 31 ઓક્ટોબર સુધી કેદીઓને યોગ ની તાલીમ આપવામાં આવશે.

Share

ભરૂચ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જેલ સુધારાત્મક વહીવટી તંત્ર દ્વારા અહિંસા થી એકતા તરફ અંકલેશ્વરની સબ જેલમાં કેદીઓ અને જેલના સ્ટાફને યોગાભ્યાસથી સકારાત્મક બદલાવ  લાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. ભરૂચ ડિસ્ટ્રીક કોડીનેટર કામિનાબા રાજના માર્ગદર્શન હેઠળ યોગ કોચ વિરેન્દ્રભાઈ અને યોગ ટ્રેનર દ્વારા જેલના કેદીઓની માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આવે તેના માટે યોગાભ્યાસ અને મેડિટેશન દ્વારા સકારાત્મક બદલાવ લાવી જ્યારે તેમની સજા માંથી મુક્તિ મળે અને બહાર આવી ને સારા નાગરિક તરીકે જીવન વિતાવે એ ઉદેશ્ય થી ૩૧ ઓકટોબર ૨૫ સુધી તાલીમ આપવામાં આવશે.

Advertisement

Share

Related posts

आपने 36वां जन्मदिन पर प्रियंका चोपड़ा ने किया कुछ ऐसा | जानिए क्या

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસાની યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મના વિરોધ પ્રદર્શનમાં કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!