વાંકલ::
માંગરોળ તાલુકાના વેરાકૂઈ ગામે છેલ્લા 40વર્ષ થી જલારામ બાપાની જયંતિ ની રંગેચંગે ઉજવણી કરવા માં આવે છે.
સવારથીજ બાપા દર્શન માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
વાંકલ થી સાત કિમી ના અંતરે વેરાકુઇ ગામ આવેલું છે.મનોકામના પૂર્ણ થતાં ભાવિક ભક્તો પગપાળા દર્શન કરી ધન્યતા અનુભવે છે. વાંકલ અંબાજી માતાજી ના પટાંગણ માં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. વેરાકુઇ અને વાંકલ ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિકભક્તોએ દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Advertisement
