વાંકલ ::
માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.આ અંતર્ગત માંગરોળઅને ઉમરપાડા તાલુકા મથકે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ અને ઉમરપાડા ખાતે એકતા ના શપથ લેવડાવ્યા હતા. તેમણે રાષ્ટ્ર્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબધ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં તમામ વિભાગોના કર્મચારીઓ, સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ તેમજ જી આર ડી જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
