Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં રાજમાર્ગ ત્રણ લેયરમાં બનશે:  ઇજારદારની 5 વર્ષ સુધીની બાંહેધરી

Share

 

અંકલેશ્વર શહેર  માંથી પસાર થતો સતત હાઇવે પાલિકા હસ્તગત આવ્યા બાદ અંતે તેના 5.50 કરોડ ઉપરાંત ના ખર્ચે નવીનીકરણ શરુ કરાયું છે દિવાળી પૂર્વે પાલિકા કામગીરી શરૂ કરી હતી જો કે ઠપ થઇ ગઈ હતી. જે અંતે દિવાળી બાદ શરુ થઇ છે.  ઓએનજીસી થી રોડ પર પ્રથમ ધૂળ ની સફાઈ તેમજ ખાડા ના પેચ વર્ક કામગીરી ત્રણ રસ્તા સર્કલ સુધી ની પૂર્ણ થતા જ હવે પ્રથમ 6 ઈ.ચ નું ડામર લેયર પાઠવામાં આવ્યું છે. જે બાદ વધુ 4ઈંચ નું લેયર આવશે અને અંતે પ્લાસ્ટિક સિલોકિત નું લેયર આવશે. રોડ ની કામગીરી શરુ થતા જ પ્રજા ને રાહત ના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે. જેમાં રોડ ની કામગીરી ગુણવત્તાસભર કરવામાં આવે તે માટે પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ નિરીક્ષણ કરતા રહે તેવી ટકોર કરવામાં આવી હતી. જે ટકોર બાદ આજે પાલિકા ના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત. કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહીત અધિકારીઓ દ્વારા ડામર વર્ક શરુ થતા જ પુનઃ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમના દ્વારા જણાવ્યું હતું કે આ કામ એક મહિના ના અંત સુધી માં 4 ભાગ માં પૂર્ણ થશે અને આ રોડ નું 5 વર્ષ સુધી ઇજારદાર દ્વારા નિભાવન કરશે. ખાસ કરી ને વરસાદી પાણી નીકળી જાય એ માટે ધાર આપી તે પાણી કાંસો માં નિકાલ થાય તેવું આયોજન રોડ સાથે કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આખરે આ વાયુ પ્રદૂષણનો અંત કયારે..! આજે આંકડો PM 2.5 સાથે 309 very poor પર પહોંચ્યો…!!

ProudOfGujarat

સુરતનાં વરાછામાં ઉમિયાધામ રોડ પર આવેલ કબીરવાડી વિસ્તારમાં એમ્બ્રોડરીનાં કારખાનામાંથી કાપડની ચોરીના બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

ProudOfGujarat

રાજપીપળા: ગણેશ વિસર્જન દરમિયાન કરજણ નદીમાં યુવાન તણાયો, શોધખોળ યથાવત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!