પાનોલી જીઆઇડીસી ના બિસ્માર માર્ગ અંગે નોટીફાઈડ ને માર્મિક ટકોર સામે આવી હતી. નોટીફાઈડ વિભાગ દ્વારા આયોજન હેઠળ તમામ માર્ગો આયોજન હેઠળ સરકારમાં મંજૂરી હેઠળ હોવાની સ્પષ્ટતા કરી હતી. પાનોલી નોટીફાઈડ માં ના આવતા માર્ગ બાબત કરવામાં આવેલ ટકોર બાબતે ત્વરિત અસર થી તંત્ર હરકત માં આવ્યું હતું.
અંકલેશ્વર ખાતે મુલાકાતે આવેલા રાજ્યના વાહન વ્યવહાર અને વન પર્યાવરણ વિભાગ ના રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળી એ પાનોલી ખાતે ઉભા કરવામાં આવેલ વન કવચ તેમજ કોમન ઈ.ટી.પી પ્લાન્ટ ની કામગીરી સમીક્ષા કરી હતી. જે દરમિયાન પાનોલી જીઆઇડીસી ને જોડતા માર્ગ તેમજ પાનોલી જીઆઇડીસી માં થી પસાર થતા માર્ગ પર તેઓ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી. હવા ની ગુણવત્તા બાબતે રોડ રસ્તા ને જવાબદાર ગણતા મંત્રી પ્રવિણભાઈ માળી દ્વારા નોટીફાઈડ વિભાગ ને રોડ રસ્તા બનાવવા માટે ટકોર કરી હતી. જીઆઇડીસી વિસ્તારમાં તમામ રોડ સુધાવા સૂચના આપી હતી. આ મુદ્દે નોટીફાઈડ ને મળેલા માર્મિક ટકોર બાદ તંત્ર એ જણાવ્યું હતું કે તમામ માર્ગ આયોજન હેઠળ છે. અને સરકાર માં તાંત્રિક મંજૂરી હેઠળ છે. તેમજ જે માર્ગ બાબતે ટકોર કરી હતી તે માર્ગ નોટીફાઈડ માં આવતો નથી પણ આ બાબતે સંબંધિત વિભાગ જોડે માર્ગ ના નવીનીકરણ માટે રજૂઆત કરાઈ છે. તેમ જણાવ્યું હતું.
