Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાહન વ્યવહાર અને વન પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળીએ પાનોલી ખાતેના વન કવચ તેમજ કોમન ઈ.ટી.પી પ્લાન્ટ ની કામગીરી સમીક્ષા કરી

Share

પાનોલી જીઆઇડીસી ના બિસ્માર માર્ગ અંગે નોટીફાઈડ ને માર્મિક ટકોર સામે આવી હતી. નોટીફાઈડ વિભાગ દ્વારા આયોજન હેઠળ તમામ માર્ગો આયોજન હેઠળ સરકારમાં મંજૂરી હેઠળ હોવાની સ્પષ્ટતા કરી હતી. પાનોલી નોટીફાઈડ માં ના આવતા માર્ગ બાબત કરવામાં આવેલ ટકોર બાબતે ત્વરિત અસર થી તંત્ર હરકત માં આવ્યું હતું.

અંકલેશ્વર ખાતે મુલાકાતે આવેલા રાજ્યના વાહન વ્યવહાર અને વન પર્યાવરણ વિભાગ ના રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળી એ પાનોલી ખાતે ઉભા કરવામાં આવેલ વન કવચ તેમજ કોમન ઈ.ટી.પી પ્લાન્ટ ની કામગીરી સમીક્ષા કરી હતી. જે દરમિયાન પાનોલી જીઆઇડીસી ને જોડતા માર્ગ તેમજ પાનોલી જીઆઇડીસી માં થી પસાર થતા માર્ગ પર તેઓ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી. હવા ની ગુણવત્તા બાબતે રોડ રસ્તા ને જવાબદાર ગણતા મંત્રી પ્રવિણભાઈ માળી દ્વારા નોટીફાઈડ વિભાગ ને રોડ રસ્તા બનાવવા માટે ટકોર કરી હતી. જીઆઇડીસી વિસ્તારમાં તમામ રોડ સુધાવા સૂચના આપી હતી. આ મુદ્દે નોટીફાઈડ ને મળેલા માર્મિક ટકોર બાદ તંત્ર એ જણાવ્યું હતું કે તમામ માર્ગ આયોજન હેઠળ છે. અને સરકાર માં તાંત્રિક મંજૂરી હેઠળ છે. તેમજ જે માર્ગ બાબતે ટકોર કરી હતી તે માર્ગ નોટીફાઈડ માં આવતો નથી પણ આ બાબતે સંબંધિત વિભાગ જોડે માર્ગ ના નવીનીકરણ માટે રજૂઆત કરાઈ છે. તેમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ડાંગ ના ગીરાધોધ પર મનમોહક દ્રશ્યો સર્જાયા…

ProudOfGujarat

કોરોના મહામારીમાંથી મુક્તિ મેળવવા હજુ ભરૂચીઓએ ગ્રીન જોનમાં આવવાં 21 દિવસની રાહ જોવી પડશે..!!જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર : વિપક્ષી ઉપનેતા અને જિલ્લા યુવા મહામંત્રી દ્વારા કોવિડ ટેસ્ટિંગ સેન્ટર ઉભું કરવા માંગ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!