Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર NH 48 પર ટ્રાફિકજામ : ભરૂચ-સુરત લેનમાં વાહનચાલકો અટવાયા, સાંકડા બ્રિજ કારણભૂત

Share

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ-સુરત લેનમાં કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ કારણે સેંકડો વાહનચાલકો અટવાઈ ગયા હતા.આ ટ્રાફિકજામ અંકલેશ્વરના મોતાલી પાટીયાથી રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી સુધી જોવા મળ્યો હતોનેશનલ હાઇવે નંબર 48 પરના ઓવરબ્રિજ સાંકડા હોવાને કારણે વાહનોની ગતિ ધીમી પડે છે. આ પરિસ્થિતિને કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિકજામ થાય છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા થોડા સમય પૂર્વે આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના આમલાખાડી ઓવરબ્રિજ અને અમરાવતી ખાડી પરના ઓવરબ્રિજ સાંકડા હોવાનું જણાયું હતું. આગામી સમયમાં આ બંને બ્રિજને પહોળા કરવાની વિચારણા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી જલદર્શન સોસાયટી પાસે ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

લીંબડી ખાતે માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા અને લીંબડી બ્લોક હેલ્થ ઓફિસના સહયોગથી કોરોના વેકશીન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ ખાતે યોજાનાર લોક રક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!