આપ અને કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર અપાયું
। ભરૂચ ।
બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર દ્વારા તાજેતરમાં જ એક સરકારી પત્ર વિતરણના કાર્યક્રમ વેળા ડો. નુશરત પરવીનને તેમનું નિમણૂંક પત્ર આપતી વેળાં તેમણે પહેરેલો હિજાબ અયોગ્યરીતે પકડીને તેમના ચહેરા પરથી હિજાબ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે એક સન્માનિત પદ હોવા છતાં નિતિશકુમાર દ્વારા કરવામાં આવેલાં કૃત્યને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યોછે. ઘટનાને લઈને સમગ્ર મુસ્લીમ સમાજ અને લઘુમતી સમુદાયની ધાર્મિક અને વ્યક્તિગત લાગણીને ઠેસ પહોંચી છે.
કાયદા અને સાશનમાં કોઈ પણ વ્યક્તિ ઉચ્ચપદ પર હોય અને તેને કોઈ પણ ધર્મની મહિલાનું અપમાન કરવાની છુટ આપી શકાય નહીં. તેથી આ સમગ્ર ઘટનાને લઈને ભરૂચ જિલ્લાની આમ આદમી પાર્ટીના આગેવાનો-કાર્યકરો તેમજ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો-કાર્યકરોએ સોમવારે કલેક્ટર કચેરી સામે સમગ્ર ઘટનાની નિંદા કરી કસુરવાર સામે કાર્યવાહી કરી તમામ લોકો માટે એક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
