Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની મુન્શી મનુબરવાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત મુન્શી આઇ.ટી.આઇ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો.

Share

ભરૂચના દહેજ બાયપાસ રોડ સ્થિત મુન્શી મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી આઇ.ટી.આઇ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો એલ્યુમની પ્રોગ્રામ યોજાયો હતો. આ સંસ્થા હાલમાં પોતાની સ્થાપનાની રજત જયંતિ વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે યોજાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આ એલ્યુમની કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થામાં અગાઉ અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓ ઠેર ઠેરથી ઉપસ્થિત રહયા હતા. તેમજ એલ્યુમની એસોસિયેશનનું પણ ગઠન કરવાનું આહવાહન કર્યું હતું.
સંસ્થાના આચાર્ય આરીફ પટેલે સમગ્ર સેમીનાર અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. જયારે સંસ્થાના ઇન્સટ્રકટર ઉર્વેશ ચોક્સી, અસલમ રંગરેજ અને ફહદ શેખે પોતાની પ્રતિક્રિયા દર્શાવી હતી.
આ એલ્યુમની સેમિનારમાં 200 થી વધુ ભૂતપૂર્વ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

ખોડલધામ યુવા સમિતિ જંબુસર દ્વારા છીદ્રા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..

ProudOfGujarat

ભરૂચ : જોલવામાં ભાડા બાબતે બોલાચાલી કરી મકાન માલિક અને તેના સાગરીતોએ કરી લૂંટ.

ProudOfGujarat

ભરૂચ : કોંગ્રેસનાં કાર્યકરો જ્યાં મળે ત્યાં શુભેચ્છાઓ આપો, રાજસ્થાન ડુંગરપુર પંચાયતની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસનાં ગઠબંધનને લઈ BTP નાં છોટુ વસાવાનાં આકરા પ્રહાર- જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!