ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા BGP HEALTH CARE pvt Ltd, તથા પિયુષભાઇ ના સંયુક્ત પ્રયાસ થકી ભરૂચ શહેરમાં 01/12/25 થી 31/12/25 દરમિયાનમાં કુલ 391 પશુઓની સારવાર કરી છે. જેમાં શ્વાનના કુલ 268 કેસ કર્યાં હતાં. જેમાં તેમને Parvo virus, (c.d) virus ઍક્સિડન્ટ કેસ, leg fracture, શરદી itching , swelling (સોજો) , m. wound, યુરિન માંથી બ્લીડિંગ નીકળવું, કમજોરી, સહિતના અન્ય કેસમાં દરેક ની સારવાર કરવામાં આવી હતી, 4 પક્ષી ઓ ઉડી નહીં શકતાં, 4 ગધેડાને અકસ્માત, 42 બિલાડીને વાયરલ કફ, એક્સીડન્ટ, શ્વાને બચકું ભરવાના કેસ બન્યાં હતાં. ઉપરાંત 30 ગાય, 1 નંદી, 36 ગલુડિયા, 1 બતક, 1 સસલુ, 2 વાછરડાં તેમજ 2 વાંદરાને અશક્તિ આવી ,anorexia, fmd થવું જોઇન્ટ ના ભાગે પગ નીકળી જવુ, આફરો, ચડવો ,એક્સિડન્ટ કેસ, ગર્ભાશય બહાર નીકળી જવું, પગે થી લંગડું ચાલવું, fever ,wound, ની સારવાર કરવામાં આવી હતી. 27 અબોલ જીવને વધુ સારવાર અર્થે કરજણ પાંજરાપોળ , તથા વડોદરા પાંજરાપોળ ,ચાપડ હોસ્પિટલ, મૂકવામાં આવ્યા. સારા થઈ જતા પાછા લાવી એની મૂળ જગ્યાએ મૂકવામાં આવ્યા હતાં. સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ નિયમિતપણે 40 કુતરાઓ ને ભોજન ની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
