દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા યુવા મોરચા, ભરૂચ તાલુકા દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિતે પતંગ, ફીરકી તેમજ ચીકી વિતરણનો લોકહિતકારી કાર્યક્રમ રાજીવ નગર સેવા વસ્તી, ભોલાવ (આશ્રય સોસાયટી પાસે) ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ સહિત અનેક આગેવાનો અને યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમથી વિસ્તારના લોકોમાં ખુશી અને ઉત્સવનો આનંદ જોવા મળ્યો હતો.
Advertisement
