Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવીજેતપુર તાલુકાના કલારાણી કોલેજ ખાતે વ્યાખ્યાન કાર્યક્રમનું કરાયું આયોજન.

Share

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી રંગલી ચોકડી સ્થિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે આવતીકાલ તા.૧૫ મીના રોજ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અંગે પ્રાપ્‍ત વિગતો મુજબ અત્રે રંગલી ચોકડી કોલેજ ખાતે આવતીકાલ તા.૧૫ મીના રોજ સવારે ૯ વાગ્યાના સમયે જાણીતા લેખક જય વસાવડા દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. હાયર સેકન્ડરી તેમજ યુનિવર્સિટીઓની પરિક્ષાઓને લઇને વિધ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને વિધ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણ વચ્ચે પરિક્ષા આપી શકે તે હેતુથી આ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઇ રાઠવા અને ટ્રસ્ટી શોભનાબેન રાઠવા તરફથી વિધ્યાર્થીઓને વ્યાખ્યાનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

વાગરા ના ચાંચવેલ વિસ્તાર માંથી ગેરકાયદેસર ગાંજા ના જથ્થા સાથે એક ઈસમ ને ઝડપી પાડતી એસ, ઓ, જી ભરૂચ

ProudOfGujarat

લીંબડી એલ.આઈ.સી ઓફિસ ખાતે કોંગ્રેસે ધરણા યોજી વિરોધ કર્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બે જ વર્ષમાં આહિર સમાજની વાડી સમાજનું  ભવ્ય સંકુલ બનશે 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!