Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનના એન્જિનમાં અચાનક લાગી ભયાનક આગ, ઉતરી જતા મુસાફરોનો આબાદ બચાવ

Share

દાહોદ-આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. માહિતી મુજબ, ટ્રેનના એન્જિનમાં લાગેલી આગ આગળના બે કોચ સુધી પ્રસરી છે. જોકે, સદનસીબે ટ્રેનમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થતા કોઈ જાનહાનિના સમાચાર નથી.

મીડિયા અહેવાલ મુજબ, દાહોદ ખાતે આણંદ મેમુ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એન્જિનમાં લાગેલી આગ આગળના બે કોચ સુધી પહોંચી હતી. જો કે, ટ્રેન ઊભી રહેતા મુસાફરો સમયસર ટ્રેનમાંથી નીચે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આથી સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

Advertisement

ટ્રેનમાંથી ઉતરી જતા મુસાફરોનો આબાદ બચાવ

ટ્રેનના એન્જિનમાં આગ લાગવાની ઘટનાની માહિતી દાહોદ ફાયરબ્રિગેડ વિભાગને આપવામાં આવી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. માહિતી મુજબ, આ મેમુ ટ્રેન દાહોદથી આણંદ થઈ રહી હતી. ઘટના અંગે માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ : 212 વર્ષથી ઉજવાતા મેઘરાજા અને છડી ઉત્સવનો કોરોના ગાઈડલાઇન સાથે તા.29 થી પ્રારંભ, જાણો શું છે દંતકથા.

ProudOfGujarat

ભરૂચ : રાજપારડીમાં BTP નાં હોદ્દેદારો સામે મારામારીનાં મુદ્દે થયેલી ફરિયાદનાં વિરોધમાં બીટીપી અને બીટીએસ દ્વારા વળતો આક્ષેપ કરી જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં ખેડૂતો દ્વારા ઢાઢરના પૂરથી થયેલ નુકસાન બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!