Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાકોરમાં ફરી વિવાદ : નીજ મંદિરની ગરીમાનો ભંગ થતો હોવાનો કરાયો દાવો.

Share

યાત્રાધામ ડાકોર ફરી એક વખત વિવાદમાં ઘેરાયું છે. ડાકોરમાં નીજ મંદિરમાં પ્રવેશને લઈને અનેક વખત વિવાદો થતા હોય છે. ઘણા સમયથી ડાકોર મંદિરમાં સામાન્ય વ્યક્તિઓ માટે નીજ મંદિરમાં પ્રવેશ માટે બંધ છે. ત્યારે અનેક વખત કોઈને કોઈ દ્વારા આ નીયમનો ભંગ થતો હોવાથી ભાવિક ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે.

ત્યારે મંદિરના પૂર્વ સેવક પ્રતિનિધિએ પોલીસમાં અરજી કરી છે. ડાકોરના પૂર્વ સેવક પ્રતિનિધિ કમલેશભાઇ સેવકે પોલીસમાં કરેલ અરજીમાં આક્ષેપ કર્યો છે કે જળયાત્રાના દિવસે કેટલાક વ્યક્તિઓ નિજ મંદિરમાં પ્રવેશ કરી મર્યાદાનો ભંગ કર્યો છે. આ અનઅધિકૃત લોકોને નીજ મંદિર પ્રવેશ માટે મેનેજરની ઓફિસથી જ ચીટ્ઠી પહોંચી હોવાનો પણ આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.

Advertisement

ડાકોરમાં ઘણા સમયથી ભાવિક ભક્તો તેમજ સેવક પુજારી સિવાયના અન્ય લોકોને નીજ મંદિર પ્રવેશ પ્રતિબંધ છે. જેના કારણે રાજ્ય કે રાજ્ય બહારથી આવતા વીવીઆઈપી વ્યક્તિઓને પણ નીજ મંદિર બહારથી જ દર્શન મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ વ્યક્તિ દ્વારા નીજ મંદિર પ્રવેશ કરી ભગવાનની મુર્તી સુધી પહોંચી જતા હોવાના વારંવાર વિવાદ સર્જાય છે.


Share

Related posts

ભરૂચ જીલ્લા કક્ષાની SGFI શાળાકીય રમત સ્પર્ધામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ ઝળકી, ૩૦ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ

ProudOfGujarat

ભરૂચ : ઇ.વી.એમ. થી ચૂંટણીનો બહિષ્કાર કરતાં ઝઘડિયાનાં સુલતાનપુરાનાં ગ્રામજનો.

ProudOfGujarat

ભરૂચનાં નંદેલાવ ઓવરબ્રિજ પર મસમોટા ખાડાનાં કારણે ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!