Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાંગ-વઘઇ તાલુકામાં મહત્તમ ચેકડેમો ચોમાસામાં ધોવાયા

Share

 
સૌજન્ય-ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં આવેલ સિંચાઇ વિભાગનાં મહત્તમ ચેકડેમો ચાલુ વર્ષનાં ચોમાસામાં ધોવાઇ તૂટી જતાં ઇજારદારે ઉતારેલી ગેરરીતી બહાર આવવા પામી છે.

મળતી માહિતી અનુસાર વઘઇ તાલુકાનાં અંતરીયાળ વિસ્તારમાં આવેલ માનમોડી ગામ પાસે ગત વર્ષે નિર્માણ થયેલ ચેકડેમમાં લાખો રૂપિયાનો ખર્ચ કરાયા બાદ પણ પ્રથમ ચોમાસે ચેકડેમની કી વોલ ધોવાઇ તૂટી જતાં ઇજારદારે ચેકડેમ નિર્માણમાં ઉતારેલી વેઠની પોલ ઉઘાડી પડી જવા પામી હતી. ડાંગ જિલ્લાની ભૌગોલિક ડુંગરાળ પ્રદેશનાં પગલે ચોમાસામાં પાણી નકામુ વહી જાય છે, જેથી આદિવાસી ખેડૂતોને સિંચાઇનો લાભ મળી શક્તો નથી. આ નકામુ વહી જતું પાણી અટકાવવા રાજ્ય સરકારનાં સિંચાઇ વિભાગ દ્વારા ડાંગની લોકમાતાઓ અંબિકા, ખાપરી, પૂર્ણા પર લાખો રૂપિયાનાં ખર્ચે ચેકડેમો નિર્માણ કરાયા છે પરંતુ તેના યોગ્ય આયોજન કે સુપર વિઝનનાં અભાવે ચેકડેમો તકલાદી બનતાં યોજનાઓ કાગળ પર જ સાર્થક હોય તેમ જણાય રહી છે. વઘઇ તાલુકાનાં માનમોડી ગામ પાસે અંબિકા નદીમાં ચેઇન ચેકડેમ નિર્માણ કરાયા છે. પરંતુ જયવંતભાઇ પવારની જમીનને અડી બનાવવામાં આવેલા ચેકડેમની કી વોલ પ્રથમ વરસાદમાં ધોવાઇ તૂટી જતાં જમીનમાં ઉભા દસેક સાગી વૃક્ષો અને કિંમતી જમીનનો વ્યાપક ધોવાણ થતાં નુકશાન પહોંચ્યું છે. આ સાથે જ વઘઇ તાલુકાનાં કાકરદા-ભોંગડીયા વિસ્તારમાં બનેલ ચેકડેમો પણ ઠેર ઠેર લીકેજ થવા સાથે ધોવાણ થઇ તૂટી જતાં સરકારી કરોડો રૂપિયાની યોજના આદિવાસી ખેડૂતોને બીનઉપયોગી સાબીત થવા પામી છે.

Advertisement

વઘઇ તાલુકાનાં માનમોડી ગામ પાસે બનેલ ચેકડેમની કી વોલ ધોવાઇ તૂટી જતાં બાજુની જમીનનું વ્યાપક ધોવાણ થઇ નુકસાન થયેલ નજરે પડે છે. તસવીર-પાંડુ ચૌધરી

મીલીભગતમાં ભારે ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યો છે

ડાંગમાં સિંચાઇ-વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા મહત્તમ ચેકડેમોમાં ઇજારદારો અને અધિકારીઓની મીલીભગતમાં ભારે ગેરરીતીઓ સાથે ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યો છે. જે બાબતે આ તમામ ચેકડેમોની વિજીલન્સ તપાસની માંગ કરી કસુરવારો સામે પગલાં ભરવા રજૂઆતો કરાશે.હરીશભાઇ બચ્છા, ઉપપ્રમુખ જિલ્લા પંચાયત ડાંગ

સરવે કરી કામગીરી કરવામાં આવશે

હાલ ડાંગમાં ચોમાસુ પૂર્ણ થયું છે. જેથી ચોમાસા દરમિયાન ડેમેજ થયેલા ચેકડેમોનાં સર્વે હાથ ધરી તૂટી ગયેલા ચેકડેમોને મરામત કરવા કામગીરી હાથ ધરાશે.આર.એમ.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગ વઘઇ


Share

Related posts

ભરૂચ : તલાટી કમ-મંત્રી કેડરના પડતર પ્રશ્નોને લઇ તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન, જાણો શું છે તલાટીઓના પડતર પ્રશ્નો..?

ProudOfGujarat

અંકલેશ્વર ની એમ.ટી.એમ અને જીનવાલા સ્કુલના કુલ ૧૨ વર્ગ બંધ થશે…???

ProudOfGujarat

ઉમરપાડા આદિવાસી સમાજ યુવા કાર્યકરોએ વ્યારામાં આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર મુસ્લિમ યુવકને ફાંસી આપવાની માંગ કરી ઉમરપાડાનાં મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!