Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા અંતર્ગત તાલુકાના કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લીધી.

Share

ડેડીયાપાડા – પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રા અંતર્ગત કોરોના મહામારીમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસ્કુટ, વડપાડા, ઉમરાણ, ઝાંક વગેરે ગામોમાં કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લઈ રૂ.4 લાખની સહાય તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલ ખર્ચ આપવાની માંગ સાથે પરિવારને રૂબરૂ મળી સાંત્વના પાઠવવામાં આવી હતી.

કોંગ્રેસના આગેવાનો દ્વારા ગામે ગામ જઈ પરિવારના સભ્યની મુલાકત કરી સહાયના ફોર્મ ભરી કુટુંબના સભ્ય માટે સહાયની માંગણી કરવામાં આવી. જેમાં દેડિયાપાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા, દેડિયાપાડા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માલજી વસાવા, સાગબારા તાલુકાના પૂર્વ પ્રમુખ ભાંગા વસાવા, કોંગ્રેસના આગેવાનો બહાદુરભાઈ, વનરાજભાઈ, વિપુલભાઈ, રામજીભાઈ, સોફિભાઈ, અર્જુનભાઈ, ફુલસિંગભાઈ, રાયસિંગભાઈ વગેરે ઉપસ્થિત રહી મૃતક પરિવારના સભ્યને મળી સાંત્વના પાઠવી હતી.

તાહિર મેમણ

Advertisement

Share

Related posts

संदीप सिंह ने कहा देश के लिए जीतना ही उनका परम उद्देश्य है!

ProudOfGujarat

એશિયન ગેમ્સ : ચીન ટોચ પર, ભારત 24 મેડલ સાથે પાંચમા સ્થાને, અહીં જુઓ મેડલ ટેબલ

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે ગૌકથાની કળશ યાત્રા કાઢવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!