Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા જીલ્લાના ખેડૂતોને હાર્વેસ્ટર ફાળવા માટે કરાઈ રજુઆત.

Share

ભારતીય કૃષિને આધુનિક અને સ્માર્ટ બનાવવાં માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ ખેડૂતોના હિતમાં વિવિધ જોગવાઈઓ થાય તેવી કાર્યવાહી કરેલ છેગોધરા તાલુકાના ખેડૂતો દ્વારા સરકારી સાધનની સહાય મેળવવા આઈ ખેડુત પોર્ટલ ઉપર અરજી કરી રહ્યા છે અને ઓનલાઈન અરજી મારફતે પારદર્શિતાથી સરકારી સહાય મેળવી રહેલ છે. રાજ્ય સરકાર ખેતીવાડી યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં હારવેસ્ટરની ફાળવણી ખુબ જ ઓછી છે. અને ઘણા સંજોગમાં એક કે બે નું લક્ષ્યાંક હોય છે. જિલ્લામાં સાત તાલુકા છે તેવા સંજોગોમાં દરેક તાલુકામાં *બે હારવેસ્ટર* આપવામાં આવે તો ખેડૂતોને ખુબ જ સરળતા રહે રહે તેમ હોઈ બજાર સમિતિ ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કૃષિમંત્રી રાઘવજી પટેલને લેખિત રજુઆત કરેલ છે. ગોધરા તાલુકાના મુખ્ય પાકમાં ડાંગર, ચણા સોયાબીન, ઘઉં રહે છે. પરંતુ તાલુકામાં સરકારી સહાયથી કોઈ હારવેસ્ટર નથી. તેવા સંજોગોમાં ખેતીમાં મુશ્કેલી રહે છે. અને ગોધરા તાલુકામાં કોઈ હારવેસ્ટર સરકારી યોજનામાં મળેલ નથી. જેથી ખેડુત હિતમાં ગોધરા તાલુકાને *ખાસ કિસ્સામાં હારવેસ્ટર* આપવામાં આવે તેવી રજુઆત પણ કરવામાં આવેલ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ટ્રક ચાલકે રીક્ષા ને અડફેટ માં લેતા અકસ્માત…જાણો શુ થયું

ProudOfGujarat

ગોધરા નગરપાલિકાનાં છ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat

વડોદરા-કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત થતા કારમા સવાર ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત-અકસ્માત બાદ પરિવારજનોએ મકરપુરા ડેપોમાં કરી તોડફોડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!