Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા માં રસ્તે રખડતા પશુની સમસ્યા થી નાગરિકો તહિમામ્ પશુપાલકો સામે પગલાં ની માંગ

Share

 
ગોધરા..રાજુ સોલંકી

ગોધરા નગર માં આવેલ બસ સ્ટેશન વિસ્તાર બામરોલી રોડ દાહોદ રોડ ભૂરવાવ વિસ્તાર અમદાવાદ હાઈવે ના મુખ્ય માર્ગો પર ઢોરો નાં ત્રાસ ખુબ વધ્યો છે જેના કારણે આમ નગર વાશીઓ અને અવર જવર કરતા વાહન ચાલકો રાહદારીઓ ભારે વિપદા પડી રહી છે ગોધરા શહેર ની વાત કરવામાં આવે તો તાલુકા પોલીસ સ્ટેશનની સામે જ આવેલી રીલિગો ને અડીને આખલા બળદ સહિત અન્ય ઢોર નો જમાવડો જોવા મળી રહ્યો છે તેના કારણે નિત્ય અવર જવર કરનારા વાહન ચાલકો તેમજ રાહદારીઓ માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ ઢોરો રસ્તા પાસે અડીંગો જમાવી દીધો છે ત્યારે ટ્રાફિક જામ ની પરિસ્થિતિ ઉભી થાય છે તો બીજી તરફ વાહનચાલકો ને અડફેટે લઈ અકસ્માત ના બનાવ પણ બને છે તે પરિસ્થિતિ ને નકારી શકાય તેમ નથી ગોધરા શહેર માં પણ આ ઢોરની સમસ્યા ઉઠવા પામી છે તે ત્યાંરે વડોદરા સુરત અમદાવાદ રાજકોટ પાટણ જેવા મોટા શહેરોમાં પણ રસ્તે રખડતા ઢોરો ને કારણે મોત થયા ની ઘટના ઓ બની રહી છે હાલ માં તો ગણેશ ચતુર્થી ના લીધે ગોધરા શહેર ના બસ સ્ટેશન પાસે આવેલા અંકલેશ્વર મહાદેવ મંદિર વાવડી બુઝગ બામરોલી રોડ ભૂરવાવ વિસ્તાર વગેરે જગ્યાએ થી કેટલાક ગણેશ મંડળઓ દ્વારા ગણેશજી ની સવારી લઈ જવામાં આવે છે ત્યારે ગોધરા શહેર ના મધ્યસ્ત માં વચોવચ ગાયો નું ટોળું અડીંગો જમાવી ને બેસી રહેતું હોય છે તો આ વિસ્તારમાં ટ્રાફિક થી ભરચક હોવાને કારણે ઘણી વાર અકસ્માતો ની સમસ્યા ને પણ નકારી શકાય તેમ નથી તો દાહોદ અને બામરોલી રોડ પર રસ્તે આલમસી અવસ્તt માં ફરતા ગાય બળદો નું ટોળું જોઇને વાહન ચાલકો એ પોતાનું વાહન ધીમે કરવાની ફરજ પડી રહી છે તેવા માલિકો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી કડક પગલાં લેવાની માંગ ઉઠવા પામી છે ગોધરા શહેર માં ભૂતકાળ માં
ગાયએ બે વ્યક્તિઓને શિંગડાં ભેરવી હૂમલો કરતા મોત પણ નિપજતાં બનાવ બન્યો છે ત્યારે ગોધરા નગરપાલિકા તંત્ર શું હજી આવા ગંભીર હોનારત ની રાહ જોઈ રહ્યા છીએ? આવાં ઢોરો ને ક્યારે પકડી ને પૂરસએ? તેમના માલિકો વિરુધ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેવી લોક માંગ ઉઠવા પામી છે

Advertisement

Share

Related posts

જુના ડીસા ગામે જન્માષ્ટમી પર્વ નિમિત્તે લોકમેળો ભરાયો.

ProudOfGujarat

ભરૂચના જુના તવરા ગામે પાંચ દૈવી મંદિરના નવમા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

માંગરોળ : ઝાંખરડા ગામે સામાજિક વનીકરણ રેન્જ અને પ્રાથમિક શાળા દ્વારા પર્યાવરણ લોક જાગૃતિ સાઈકલ રેલી યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!