Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : ધોરણ 10 ના માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ નક્કી.

Share

ગુજરાત બોર્ડના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનના અંતિમ અઠવાડિયામાં ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 10 ની માર્કશીટ કેવી બનશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ધોરણ 9 સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે. 50 ગુણમાંથી મેળવેલા ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરવામાં આવશે.

ધોરણ-10 ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ધોરણ-9 ની સામાયિક કસોટી અને ધોરણ-10 ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે.

Advertisement

પ્રથમ અને દ્વિતિય સામયિક કસોટીના 40 ગુણમાંથી રૂપાંતરિત કરવામાં આવશે. શાળાકીય કસોટીઓ આધારિત મૂલ્યાંકનના 80 અને શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ મળશે. ધોરણ 10 ની એકમ કસોટીના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે તથા જૂનના બીજા અઠવાડિયામાં માર્કશીટ અને પ્રમાણપત્ર મળશે. ધોરણ 10 માં પ્રમોશન આપ્યાના 21 મા દિવસે સરકારે નિર્ણય કર્યો છે. ધોરણ 10 ની એકમ કસોટીના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે તથા જૂનના બીજા અઠવાડિયામાં માર્કશીટ અને પ્રમાણપત્ર મળશે. ધોરણ 10 માં પ્રમોશન આપ્યાના 21 મા દિવસે સરકારે નિર્ણય કર્યો છે.

માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11 માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું છે.


Share

Related posts

સિંધી સમાજના બહેનો માટે ફ્રૂટ સરબત બનાવવા માટેની તાલીમ શિબિર

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ધારોલી વિભાગમાં નિયમિત વીજ પુરવઠો આપવા ખેડૂતોની માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!