Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિદેશમાં અભ્યાસ અર્થે જનારા વિધાર્થીઓને માટે કોરોના રસીના પહેલા ડોઝ બાદ બીજા ડોઝ માટેનું આયોજન ટુંક સમયમાં થશે : રાજય સરકાર.

Share

હાલની કોરાના મહામારીના સમયમાં રાજય સરકાર તરફથી વેકસીન અંગેની મળેલ સૂચના અન્વયે વિદેશમાં અભ્યાસ અર્થે જનારા વિધાર્થીઓ કે જેઓએ કોરોના રસીનો ડોઝ લીધેલ છે. તેઓને બીજા ડોઝ માટેનું આયોજન ટુંક સમયમાં થનાર હોઇ, સદર વિધાર્થીઓને નામ નોંધણી કરવાની થાય છે.આથી વિદેશમાં અભ્યાસ અર્થે જનારા રસીનો પ્રથમ ડોઝ લીધેલ વિધાર્થીઓએ પોતાના તાલુકાના તાલુકા હેલ્થ ઓફીસરની કચેરીમાં પોતાનું નામ સત્વરે નોંધાવવા યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

વધુમાં જણાવવાનું કે નામ નોંધાવવા જતી વખતે આ વિધાર્થીઓએ પોતાના અભ્યાસની વિગતો આધારકાર્ડ, પાસપોર્ટ તથા રસીનો પ્રથમ ડોઝ લીધાના આધાર પુરાવા સાથે લઇ જવાના રહેશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનો એહસાસ….

ProudOfGujarat

નર્મદાની સાગબારા અને ડેડીયાપડા પો.ઓફિસના 3 પોસ્ટ માસ્તરો ગ્રાહકોના 41 હજાર રૂપિયા ચાંઉ કરી ગયા!

ProudOfGujarat

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભરૂચ કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!