Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો કરાશે સર્વે

Share

ગઈકાલે રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે વિનાશ નોતર્યો છે. રાજ્યમાં 220 તાલુકાઓમાં ભર શિયાળે માવઠું થતા ખેડૂતોની હાલત કપરી કરી દીધી છે. શિયાળાની ઋતુમાં ભારે પવન સાથે વરસાદથી સૌથી વધુ નુકશાન ખેડૂતોનું થયું છે. એવામાં સરકાર તરફથી એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલી નુકસાનીને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્થિતિની જાણકારી મેળવી છે. નુકસાનીના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય જાહેર કરી શકે છે.આ સિવાય પણ ખેડૂતોને ઉભા પાકની સામે વળતર આપવાની માંગ કરતો પત્ર પણ કડીના ભાજપના જ ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા લખવામાં આવ્યો હતો. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર તેમણે પત્ર લખ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા જી.આઈ.ડી.સીની બે કંપનીઓએ પોતાના અંગત કામ માટે જાહેરરસ્તો બંધ કરી દીધો:કોઈપણ સલામતી વિના હાઇડ્રોજન ટાવર ઉભો કરવાનું કામ કર્યું

ProudOfGujarat

ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ ખાતે સિદ્દીજમાતનાં યુવાનોને નજીવી બાબતે ઉચ્ચ જ્ઞાતિનાં લોકોએ ઢોર માર મારવાથી સિદ્દી સમાજ રતનપુર દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

હાંસોટમાં સરકાર દ્વારા મોટી રાહત બાદ બજારો ધમધમી ઉઠયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!