Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂનાગઢના જગમાલ ચોક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત

Share

જૂનાગઢના જગમાલ ચોક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા અગ્રણીઓએ ગૃહરાજ્ય મંત્રીને મળીને લેખિત રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરી તેની અમલવારી થાય તે લોકોના હિતમાં રહેશે. જુનાગઢ મહાનગરના સુખનાથ ચોકથી જગમાલ ચોક સુધીમાં જૈન ઉપાશ્રય જૈન ભવન જિનાલય આણંદજી કલ્યાણજી પેઢીની ઓફિસ વિસાશ્રીમાળી વાડી સહિત અનેક જૈનોના તથા હિન્દુઓના પવિત્ર સ્થળો આવેલા છે ત્યારે આ વિસ્તારમાં અશાંત ધારો તાત્કાલિક લાગુ કરી તેની ચુસ્ત અમલવારી થાય તે જરૂરી છે. ગત તારીખ 27.12.2022 ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મળીને જુનાગઢ જિલ્લાના અગ્રણી વીએસ રામાણી જુનાગઢ તપ ગચ્છ સંઘના પ્રમુખ દિનેશભાઈ શેઠ સહમંત્રીઓ અશ્વિનભાઈ અવલાણી અશોકભાઈ ટોળીયા તપ ગચ્છ સંઘના ટ્રસ્ટીઓ યોગેશભાઈ શેઠ હિતેશભાઈ સંઘવી દિનેશભાઈ ભાયાણી વિરલભાઈ બાવીસી સહિતના અગ્રણીઓએ આ બાબતે લેખિતમાં મુદ્દાસર રજૂઆત કરી હતી. આ તકે ગૃહ રાજ્ય મંત્રીએ સાનુકૂળ પ્રતિભાવ આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી. આ બાબતે જૂનાગઢના ધારાસભ્ય અને કલેકટરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમ અગ્રણીઓએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

લખનૌ-હરદોઈ હાઈવે પર ડિવાઈડર સાથે કાર ટકરાતા અકસ્માતમાં 4 ના મોત, 3 ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ભારત સામેની પહેલી ત્રણ વન-ડે માટે આફ્રિકાની ટીમ જાહેર કરાઈ

ProudOfGujarat

ઝઘડિયાના એક ગામે પ્રેમીના અન્ય સાથેના લગ્નની વાતથી નારાજ પ્રેમિકાએ દવા ગટગટાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!