Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણનાં મિયાગામ નજીક આવેલી દુધીયા પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

કરજણ તાલુકાના મીયાગામ નજીક આવેલી દુધીયા પીર બાવાની દરગાહ શરીફ પર સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. મિયગામથી સંદલ શરીફનું ઝુલુસ પ્રસ્થાન થયું હતું. જે ઝુલુસ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. ત્યાં જઈ સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સૈયદ અસગર અલી બાવા સાહેબે દુઆ ગુજારી હતી. સલાતો સલામના પઠન સાથે તેમજ દુઆઓ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

સૈયદ અસગર અલી બાવા સાહેબે નિવેદનમાં જણાવ્યું હતું કે દુધીયા પીર બાવા સાહેબની દરગાહ એ કોમી એકતાનું પ્રતિક છે. આ દરગાહ પર નિયમિત હિંદુ – મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ હાજરી આપે છે. અને દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે. કાર્યક્રમના સમાપન બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈયદ જલાલુદ્દીન બાવા, સૈયદ અસગર અલી બાવા સાહેબ, અન્ય સૈયદ સાદાતો કિરામ ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં AMC ના કર્મચારી પર હુમલો કરનાર આરોપી સામે એટ્રોસીટી અંતર્ગત કેસ દાખલ કરાયો

ProudOfGujarat

ભરૂચ : જંબુસરના ટંકારી રોડ ઉપર આવેલ સોસાયટીના અગ્રણીઓએ મીઠાના અગરમાંથી મીઠુ ઓવરલોડ ભરીને વહન કરતી ટ્રકોને રોકી.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં જળસંકટ વચ્ચે પાણી ચોરીનાં બનાવમાં વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!