Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણનાં મિયાગામ નજીક આવેલી દુધીયા પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

કરજણ તાલુકાના મીયાગામ નજીક આવેલી દુધીયા પીર બાવાની દરગાહ શરીફ પર સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. મિયગામથી સંદલ શરીફનું ઝુલુસ પ્રસ્થાન થયું હતું. જે ઝુલુસ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. ત્યાં જઈ સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સૈયદ અસગર અલી બાવા સાહેબે દુઆ ગુજારી હતી. સલાતો સલામના પઠન સાથે તેમજ દુઆઓ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

સૈયદ અસગર અલી બાવા સાહેબે નિવેદનમાં જણાવ્યું હતું કે દુધીયા પીર બાવા સાહેબની દરગાહ એ કોમી એકતાનું પ્રતિક છે. આ દરગાહ પર નિયમિત હિંદુ – મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ હાજરી આપે છે. અને દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે. કાર્યક્રમના સમાપન બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈયદ જલાલુદ્દીન બાવા, સૈયદ અસગર અલી બાવા સાહેબ, અન્ય સૈયદ સાદાતો કિરામ ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પોલીસ તંત્ર સતર્ક, વાગરાના સંવેદનશીલ વિસ્તારોમાં કરાયું ફૂટ પેટ્રોલીંગ અને ફ્લેગ માર્ચ.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાંથી 14 કિલો પોશ ડોડાનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat

આમોદ પોલીસે કોલવણા ગામ વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડયું કુલ 5 જુગારીઓની અટક કરી રૂ.35,000 કરતાં વધુ મત્તા જપ્ત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!