Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી પંથકમાં ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા.

Share

લીંબડી લખતર સ્ટેટ હાઇવે પર તંત્રની બેદરકારીનાં કારણે તાવી ડોરી હનુમાનજી મંદિરની પાસે કોઝવેની જગ્યાએ નાળુ ના મુકાતા હજારો વીઘા જમીન પાણીમાં ડૂબી જતાં જગતનાં તાતની ચિંતામાં વધારો થયો હતો. આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં લીંબડીથી લખતર સુધીના 36 કિલોમીટરમાં ફક્ત આ એક જ કોઝવે પર નાળુ બનેલ નથી તથા ગુજરાત સરકારની લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ કોઝવેની જગ્યાએ નાળુ મંજૂર થઈ ગયેલ હોવા છતાં આજ દિવસ સુધી ત્યાં નાળુ બનેલ નથી ત્યારે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં અને ખેડુતોના પાકમાં પાણી ફરી વળ્યા ત્યારે જગતનો તાત કહેવાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ઝઘડિયા ખાતે લઇ જવાતી પ્રસુતાની ૧૦૮ માં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાઇ.

ProudOfGujarat

નડિયાદ : મુસાફરો માટે ઉપયોગી મેમુ અને પેસેન્જર ટ્રેનો પુનઃ શરૂ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, અંકલેશ્વર વાલિયા રોડ પર વૃક્ષ ધરાશાયી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!