Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રમાં ગણેશ પ્રતિમા વિસર્જન દરમિયાન જુદી જુદી ઘટનામાં 19 લોકોના મોત.

Share

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગણેશ પ્રતિમાના વિસર્જન દરમિયાન કેટલીક જગ્યાએ ડૂબવાથી તો ક્યાંક રોડ અકસ્માતમાં કેટલાક લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રના નાગપુર શહેરના સક્કરદરા વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન ઘટના બની ગઈ હતી જેમાં ચાર લોકોના મોત થઇ હતી.

મહારાષ્ટ્રમાં 10 દિવસો સુધી ચાલેલી ગણેશ મહોત્સવનો શુક્રવારે સમાપન થયું હતું. શુક્રવારે જ શરુ થયેલી વિસર્જન પ્રક્રિયામાં અત્યાર સુધી 19 લોકોના મોત થઇ ગઈ છે. શનિવારે મહારાષ્ટ્ર પોલીસના અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યોના અલગ અલગ હિસ્સમાં થયેલી જુદી જુદી ઘટનાઓમાં 19 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેમાંથી 14 લોકોએ પોતાનો જીવ મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબવાથી ગયો હતો.

Advertisement

આ ઉપરાંત ચાર લોકોના મોત અકસ્માતમાં થયા હતા જયારે વિસર્જન દરમિયાન થઇ રહેલા ગણેશ આરતીમાં એક વૃક્ષ પડવાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન ઘણી જગ્યાએ કાનૂન વ્યવસ્થા પણ બગડેલી જોવા મળી હતી.


Share

Related posts

પંડવાઈ સુગર ના ચેરમેન તરીકે પુનઃ ઇશ્વર સિહ પટેલ બિનહરીફ …

ProudOfGujarat

શ્રીમતી સાન્યા મલ્હોત્રાની સફળતા પછી, તેણી એક એક્શન-કોમેડી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે

ProudOfGujarat

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો રિપોર્ટ દર્શાવે છે કે પડકારો અને સપ્લાય ચેઇન વિક્ષેપો હોવા છતાં 80% થી વધુ બિઝનેસ લીડર્સ વૈશ્વિકીકરણ અને વેપારમાં વિશ્વાસ રાખે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!