Proud of Gujarat
FeaturedGujaratINDIA

વકીલપરા અને અણોઈ ગામે એન.આર.આઈ પરિવારે જરૂરીયાત મંદ ગરીબોને અનાજ કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું.

Share

વકીલપરા અને અણોઈ ગામે એન.આર.આઈ પરિવારે જરૂરીયાત મંદ ગરીબોને અનાજ કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું. કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉન ના કારણે ગરીબો રોજગારી થી વંચિત થયા હતા. વકીલપરા ગામ ના એન.આર.આઈ દિનેશભાઇ સોમાભાઈ પટેલે માનવતા મહેકાવી ગરીબ પરિવારોને દસ કિલો ઘઉં નો લોટ, અઢી કિલો ચોખા, પાંચસો ગ્રામ તુવર દાળ, એક કિલો તેલ સહીત ઉપરોક્ત સમાન ની એક કીટ બનાવી ગરીબ પરિવારો ને આપવામાં આવી હતી. સેવાભાવી દાનવીર દિનેશભાઇ પટેલ દ્વારા અગાઉ વકીલપરા ની પ્રાથમિક શાળા માં દાન કરવા માં આવ્યું હતું તેમજ થોડા દિવસ પહેલા ત્રણ જેટલાં આરોગ્ય સારવાર કેમ્પ નું આયોજન કરાયું હતું. કોરોના કારણે રોજગારી બંધ થતા ગરીબ પરિવાર ની વ્હારે આવ્યા હતા. અણોઈ અને વકીલપરા ગામે તેઓ દ્વારા તૈયાર કરાયેલી અનાજ કીટ નું વિતરણ માંગરોળ પો.સ.ઈ પરેશ નાયી અને કિન્નર ભાઈ ના હસ્તે કરાયું હતું.

વિનોદ મૈસુરિયા :- વાંકલ

Advertisement

Share

Related posts

સુરતનાં પાંડેસરા VT પોદાર BCA કોલેજ બહાર વિદ્યાર્થીઓએ એક સાથી વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી.

ProudOfGujarat

ભરૂચ પોલીસ નું ગૌરવ :ભરૂચ ના બે પોલીસ કર્મીઓને પ્રશંસાપત્ર એનાયત કરાયા

ProudOfGujarat

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ટીટોડી ચાર ઈંડા મૂકતા આ વખતે વરસાદ જિલ્લામાં સારો પડે તેવી માન્યતા માનતા લોકો કહી રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!