Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વસ્તાન ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું.

Share

માંગરોળ તાલુકાના વસ્તાન ગામે જી આઈ પી સી એલ કંપનીના ગ્રીન બેલ્ટ એરિયામાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું.

વસ્તાન ગામના પશુપાલક મોતિયાભાઈ કાળીયાભાઈ વસાવાની માલિકીના બેથી ત્રણ વર્ષના વાછરડાને સીમમાં ચારો ચરાવવા માટે ગોવાળ લઈ ગયો હતો, આ સમયે કંપનીના ગ્રીન બેલ્ટ એરિયામાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ પશુપાલકે વાંકલ વન વિભાગની કચેરીને કરતા વન વિભાગ દ્વારા મૃત વાછરડાનો કબજો લઈ પી.એમ કરવામાં આવ્યું હતું તેમજ પશુપાલકને નુકશાનીનું વળતર મળે એ માટેની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. થોડા સમય પહેલા એક ગાય એક વાછરડો તેમજ ચાર જેટલા બકરાનું દીપડાએ મારણ કર્યું હતું ત્યારે દિપડા દ્વારા થતા પશુઓના મારણને કાયમી ધોરણે રોકી આ સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી માંગ સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનો કરી રહ્યા છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ટ્રાઈબલ વિસ્તારના બે ધારાસભ્યોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી બંધારણની પાંચમી અનુસૂચિ જોગવાઈનાં અમલની માંગ કરી.

ProudOfGujarat

આવો જાણીએ સ્વ.એહમદભાઈ પટેલનીજન્મ જયંતી એ તેમની રાજકીય કોઠા સુજ અને સાયરાના અંદાજમાં પોતાની વાત કહેવાની કુશળતા…

ProudOfGujarat

અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ નજીક ટેન્કર સાથે રિક્ષા ભટકાતા રિક્ષા ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!