Proud of Gujarat
FeaturedGujaratINDIA

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો માટે જૈવિક ખેતી – ટપક સિંચાઇ અંગે જાગૃતિ શિબિર યોજાઈ.

Share

ઉમરપાડાના આંતરિયાળ વિસ્તારમાં ખેતી કરતાં આદિવાસી ખેડૂતોને જૈવિક ખેતી, ટપક સિંચાઇ પધ્ધતિ, જીવાત નિયંત્રણ જેવા ખેતી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક જાગૃતિ શિબિર સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના ચોખવાળા ગામ ખાતે યોજાઈ હતી. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આયોજિત આ ખેડૂત જાગૃતિ કાર્યક્રમમાં નવસારી યુનીવર્સીટી અંતર્ગત ચાલતા ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના કૃષિ વૈજ્ઞાનિક જીજીઆરસી અને અન્ય નિષ્ણાંત વક્તાઓએ ખેતી વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું .અને ખેડૂતોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

ખેડૂત જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં ઉમરપાડાના ચોખવાડા ગામના ખેડૂતોએ હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી યુનીવર્સીટી અંતર્ગત ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકભાઈ રાઠોડ, સુનીલભાઈ ત્રિવેદી ભરતભાઈ અને જીજીઆરસી વડોદરાના સંદીપ પંચાલ દ્વારા ગાય આધારિત પ્રાકુતિક ખેતી, ખેતીમાં આવતી વિવિધ જીવાત નિયંત્રણ, ઉમરપાડા તાલુકામાંથતા ડાંગર મગ, તલ, મગફળી અને શેરડીમાં ખર્ચ ઘટાડી ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ખેડૂત જાગૃતતા કાર્યક્રમમાં ચોખવાડા ગામના સરપંચ, સભ્ય સહીત ખેડૂત અને પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા હાજર સૌ ખેડૂતોને નવસારી કૃષિ યુનીવર્સીટીના કેવીકે સુરત દ્વારા સેન્દ્રીય પ્રવાહી પોષક તત્વો થી ભરપુર નોવેલ નામની દવાની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

રાજપીપલા આયુર્વેદિક હોસ્પિટલમાં મંજુર થયેલ તબીબો,અન્ય મહેકમની જગ્યાઓ પુરતી સંખ્યામાં ભરતી કરવા પી.ડી.વસાવાની રજુઆત.

ProudOfGujarat

વડોદરા : કરજણના કણભા ગામ પાસે નમો કિસાન પંચાયત યોજાઇ.

ProudOfGujarat

સુરતના ચોકબજારમાં આર્યસમાજ ભવન પાસે પાર્ક કરાયેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!