Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રા નીકળી.

Share

નડિયાદમાં શ્વેતાંબર જૈન સંઘ દ્વારા આજે ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા.

બુધવારે નડિયાદના આંગણે ૮૨ દિવસ મહા મંગલકારી ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ.આ.ભ. દર્શનવલ્લભસુરિશ્વરજી મહારાજ અને પૂ.સા.નિર્મલગુણાશ્રીજી મ.સા.આદિ ઠાણાની નિશ્રામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ગજરાજ, ઘોડા, ઊંટગાડી, પુનેરી ઢોલ, શહેનાઈ વાદકો, બેન્ડવાજા સહિત 35 બગીઓ જોડાઈ હતી.

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા સવારે આ શોભાયાત્રાનુ પ્રસ્થાન કિડની હોસ્પિટલ પાસે આવેલ સુપાશ્વનાથ જૈન દેરાસરથી નીકળી અને નગરના રાજમાર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રામાં વિવિધ મંડળીઓ અને હિંમતનગરના બેન્ડે આકર્ષક જમાવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાજપીપળામાં બે જગ્યાએથી ચંદનના મોટા ઝાડ કાપી જતાં ચકચાર.

ProudOfGujarat

નડિયાદમાં ગાંધીજીની પ્રતિમા પાસે લોખંડની રેલિંગમાં બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જીતાલી ફાટક પાસે ટ્રિપલ અકસ્માત: બાઈક–થાર–રીક્ષા અથડાયા, ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!