Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રમુખસ્વામી મહારાજની જયોતયાત્રાનુ નડિયાદ શહેરમાં આગમન

Share

અમદાવાદના આંગણેજ ખાતે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની મહોત્સવની દબાદાભેર ઉજવણી કરવામાં આવનાર છે. ૧૫ મી ડીસેમ્બરથી ૧૫ મી જાન્યુઆરી સુધી એક માસ ઉજવણી થનાર છે. આ મહોત્સવ પહેલા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન વડોદરાના ચાણસદથી અમદાવાદ
આંગણેજ જવા નીકળેલી જ્યોતયાત્રા ગતરોજ નડિયાદ ખાતે આવી પહોંચી હતી. પ્રમુખસ્વામી મહારાજ ૧૪મી ડીસેમ્બરના રોજ મહોત્સવના સ્થળે પહોંચશે આ જ્યોતયાત્રામા ૬૫ જેટલા સંસ્થાના યુવાનો જોડાયા હતા. યાત્રીકો જ્યોતયાત્રા લઈને જ્યારે નડિયાદના માર્ગ પરથી પસાર થતાં હતાં ત્યારે અનેક સંદેશાઓ પાઠવી વર્તમાન મહંત સ્વામીના દર્શન કરવા અચૂક પધારો તેવી નગરજનોને અપીલ કરી છે. સાથે સાથે આ યાત્રા આગળ મહેમદાવાદ અને પછી અમદાવાદ ખાતે પહોંચશે. અને ૧૪ મી ડીસેમ્બરના રોજ મહોત્સવના સ્થળે પહોંચશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપીપલા નગરી બની ખાડાનગરી.. જ્યાં જુવો ત્યાં અધધ ધ ખાડા જ ખાડા.!

ProudOfGujarat

માંગરોળ મામલતદાર કચેરી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાશે, કાંઠા વિસ્તારોમાં તંત્ર દ્વારા અપાયું એલર્ટ !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!