Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ ડુમરાલમાં આવેલ સોસાયટીના મકાનમાં રાત્રીના સમયે તસ્કરોનો હાથફેરો

Share

નડિયાદ ડુમરાલ આવેલ કૈવલનગર સોસાયટીમાં રહેતા ચંદ્રકાન્તભાઈ પટેલ ગઈકાલે સવારે ઉઠીને મકાનનો પાછળનો દરવાજો ખોલવા જતા તે બહારથી કપડાની ગાંઠથી બંધ કરેલ હતો. જેથી ખોલી પાછળના ભાગે જોતા મકાનની દિવાલ પર તારની જાળી કાપી બાકોરુ પાડી લોખંડની જાળી કાઢી નાંખેલી હતી. જેથી તે રૂમમાં તપાસ કરતાં તિજોરી અને લાકડાના કબાટોમાં મુકેલ માતાજીના શણગારની ચીજવસ્તુઓ ઘરના સભ્યોના દાગીના, ચાંદીનો દોઢ કિલોનો તા૨, ૨૫૦ ગ્રામના ચાંદીના વાસણો, ૬૦૦ ગ્રામના ચાંદીના છડા, પાઉન્ડના ૫૦ નંગ સિક્કા મળી કુલ રૂ.૧.૮૨ લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. તેમણે સીસીટીવીમા જોતા ત્રણ ઈસમો મોઢા પર બાંધેલી હાલતમાં ઘરમાં પ્રવેશ કરી ચોરી કરતા દેખાયા હતા. આ મામલે તેમણે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય એ પામ સન્ડેની ઉજવણી કરી.

ProudOfGujarat

ભરૂચના નિકોરા ગામે બેટ ઉપર ફસાયેલા પશુઓ માટે ઘાસચારાનો અભાવ, ત્રીજા દિવસે પણ પશુપાલકો પશુઓને લઈને બેટ પર યથાવત

ProudOfGujarat

ગોધરા : બાબાસાહેબ આંબેડકરની જન્મજંયતિની નિમિત્તે યુવાનોએ સ્વેચ્છિક રક્તદાન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!