Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : બાબાસાહેબ આંબેડકરની જન્મજંયતિની નિમિત્તે યુવાનોએ સ્વેચ્છિક રક્તદાન કર્યું.

Share

ગોધરા શહેરના અમદાવાદ હાઈવે પાસે આવેલ સૂર્યનગર સોસાયટી તથા ડો.આંબેડકર સોસાયટીના ઉત્સાહી યુવકોએ આજ રોજ ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 129 મી જન્મ જયંતિ નિમિત્તે સ્વેચ્છિક રક્તદાન કરી માનવતાની સુવાસ પ્રસરાવી હતી.

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના કારણે સમગ્ર દેશ હચમચી ગયો છે ત્યારે રક્તની આવશ્યકતા પંચમહાલ જિલ્લામાં ઉભી થતા લોકો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રક્તદાન કરવામાં આવે છે. ત્યારે ગોધરા શહેરના અમદાવાદ હાઈવે વિસ્તારમાં આવેલી સૂર્યનગર સોસાયટીમાં ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 129 મી જન્મજયંતીના ઉજવણીના ભાગરૂપે લગભગ 25 ઉપરાંત યુવકોએ રક્તદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પમાં 25 યુનિટ રક્ત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરાના સહયોગથી યુવકોએ આપ્યું હતું.આ રક્તદાનમાં કોરોના વાયરસને લઈ સંપૂર્ણ સામાજિક અંતરનું પાલન કર્યું હતું.આ રક્તદાન કેમ્પમાં રક્ત આપનારા દરેક રક્તદાતાનું તાળીઓનાં ગડગડાટથી અભિવાદન કરાયું હતું.આ રક્તદાન કેમ્પમાં સૂર્યનગર સોસાયટીની મહિલા લીલાબેન કિરણભાઈ પરમારે પ્રથમ વખત રક્તદાન કરતા ભારે ઉત્સાહી દેખાયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચમાં મૂળનિવાસી સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું…

ProudOfGujarat

 શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ : ૩૦મી જાન્યુઆરીએ સવારે ૧૧:૦૦ કલાકે એક મિનીટ સુધી સાયરણ વાગશે, બે મિનિટ મૌન પાળવું

ProudOfGujarat

માંગરોળ : વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજમાં રોજીંદા જીવનમાં ગુણવત્તા-માનકોનું મહત્વ વિષય ઉપર સેમીનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!