Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વાંકલ ખાતે દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિર, પ્રયોજન રેસીડેન્સી, સત કૈવલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું.

Share

તા.26/4/23 બુધવાર થી તા.30/4/23 રવિવાર સુધી પાદુકા પૂજન, અનંત શ્રી વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠાધિશ્વર કુવેરાચાર્ય જગદ ગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજની ભાવવંદના તથા દરરોજ સાંજે નવ કલાકે સાધ્વી ગીતા દીદીના મધુર કંઠે ભક્તિ સંગીત અને ગુરુ મહિમા કથા તેમજ તા.1/5/23 ના રોજ સવારે 8.00 થી 11.30 કલાકે ગુરુ ગાદી દ્વારા નિર્મિત કરુણા સાગર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે. સૌ ભાવિક ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. વાંકલના આજુબાજુના 45 ગામોમાં પાદુકા પૂજન અને કથા સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવશે. જગદ ગુરુ અવિચલ દેવાચાર્યજી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટીલ, માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ મંત્રીઓ અને ધારાસભ્યો હાજરી આપશે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ફ્રન્ટલાઇન વર્કર્સ માટે પ્રિકોશન ડોઝનું વેક્સીનેશન કરાયું.

ProudOfGujarat

વર્લ્ડ રીમેમ્બરન્સ દિવસ નિમિત્તે ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!