Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં જય મહારાજ સોસાયટીના રહેણાંક મકાનમાં લાગી આગ.

Share

નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી નગરની પાસે એક રહેણાંક મકાનમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી.

આ બનાવની મળતી વિગતો અનુસાર નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી નગરની પાસે જય મહારાજ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ સોનીના મકાનમાં સવારે મકાનના ઉપલા માળે અચાનક જ આગ લાગી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે મકાનમાલિક સહિતના સ્થાનિક લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. તાત્કાલિક ધોરણે નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચી આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી મકાનના ઉપલા માળે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. રહેણાંક મકાનમાં કયા કારણોસર આગ લાગી હોય તે રહસ્ય અકબંધ રહ્યું છે. ઘરના ઉપરના માળમાં રાખેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાની થવા પામી નથી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચની શાન: પ્રાત્વી દેસાઈએ સ્ટેટ લેવલ ખેલ મહાકુંભમાં બે બ્રોન્ઝ મેડલ જીતી ભરૂચનું ગૌરવ વધાર્યું

ProudOfGujarat

વડોદરામાં ડેસર તાલુકાના ન્હારા ગામે એક જ કોમના બે ટોળા વચ્ચે પથ્થર મારો, ત્રણ વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

બળતણ તરીકે ટાયર ઉપયોગ કરાતા લોકોના આરોગ્ય જોખમમાં જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!