Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં જય મહારાજ સોસાયટીના રહેણાંક મકાનમાં લાગી આગ.

Share

નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી નગરની પાસે એક રહેણાંક મકાનમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી.

આ બનાવની મળતી વિગતો અનુસાર નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી નગરની પાસે જય મહારાજ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ સોનીના મકાનમાં સવારે મકાનના ઉપલા માળે અચાનક જ આગ લાગી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે મકાનમાલિક સહિતના સ્થાનિક લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. તાત્કાલિક ધોરણે નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચી આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી મકાનના ઉપલા માળે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. રહેણાંક મકાનમાં કયા કારણોસર આગ લાગી હોય તે રહસ્ય અકબંધ રહ્યું છે. ઘરના ઉપરના માળમાં રાખેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાની થવા પામી નથી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં આવેલ આદર્શ શોપિંગ પાસે થી એક યુવાન નો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો….

ProudOfGujarat

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડએ મારામારીનાં ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝધડીયાનાં રાણીપુરા બસ સ્ટેન્ડ ઉપરથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

કરજણનાં ભરથાણા ગામ પાસે આવેલ ટોલનાકા પાસે પરપ્રાંતીય શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!