Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી-વાડા ગામે બંધ ઘરનું તાળું તોડી રૂપિયા બે લાખની મતાની ચોરી

Share

 

મરોલી પાસે આવેલા વાડા ગામે વાસુપૂજ્ય રેસિડેન્સીમાં રહેતો પરિવાર સામાજીક કામ માટે બહારગામ ગયા હતા. બંધ ઘરનું કોઈ ચોર ઈસમોએ તાળુ તોડીને સોનાના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. 1.90 લાખની ચોરી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

Advertisement

વાડા ગામની સીમમાં વાસુપૂજ્ય રેસિડેન્સીમાં શાહીનબેન લુહાર તેના પતિ તથા પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલા તેઓ સામાજીક કામ માટે બહારગામ ગયા હતા. તેમનું ઘર બંધ હોય તસ્કરોએ લાભ લઈને મુખ્ય તાળુ કોઈ સાધન વડે તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તેમના બેડરૂમમાં મુકેલા બે લોખંડના કબાટનું તાળુ તોડીને અંદર મુકેલા સોનાના દાગીના તથા રોકડા મળી કુલ રૂ. 1.90 લાખની ચોરી કરી ગયા હતા. લુહાર દંપતી ઘરે આવતા જોયું તે તેમના ઘરનું તાળુ તૂટેલું અને ઘરની અંદર બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત પડેલી હતી અને બેડરૂમમાં મુકેલા કબાટના લોક તૂટેલા હતા અને સોનાના દાગીના તથા રોકડની ચોરી થઈ હોય તુરંત પોલીસ મથકે જાણ કરી હતી.સૌજન્ય


Share

Related posts

વિકાસ થશે કે નહિ એ તો ખબર નહિ પરંતુ જીવન મોંઘુ થશે : હવે તો બેંકમાં પૈસા ઉપાડવા-જમા કરાવવાનો પણ ચાર્જ લાગશે

ProudOfGujarat

અંકલેશ્વરના અંદાડા થી 6 જુગારીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજી મંદિર સંકુલમાંથી ચંદનના વૃક્ષો કાપી લાકડાની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!