Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજી મંદિર સંકુલમાંથી ચંદનના વૃક્ષો કાપી લાકડાની ચોરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંત દ્વારા ૨૦ વર્ષ ઉપરાંતના સમયથી મંદિર સંકુલની જમીનમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરેલ હતું. મંદિર દ્વારા સાથે-સાથે ચંદનના વૃક્ષો પણ વાવેતર કરવામાં આવ્યા હતા. મંગળવારની રાત્રિના રોજ કોઈ અજાણ્યા ચોર ઇસમો મંદિરની જમીનમાંથી ૨૦ જેટલા પરીપકવ થયેલ ચંદનના વૃક્ષો ઈલેક્ટ્રીક કટર વડે કાપી ગયા હતા. કાપેલા કેટલાંક વૃક્ષના લાકડા ચોર ઈસમો ત્યાં જ છોડી ગયા હતા, બાકીના લાકડાઓની ચોરી કરી ગઈ લઈ ગયા હતા. મંદિરના મહંત મનમોહનદાસને વહેલી સવારે ચંદનના લાકડા કાપી ચોરી કરી ગયા હોવાની જાણ થતાં તેમણે ઝઘડિયા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુમાનદેવ મંદિરની જમીનમાંથી વાવેતર કરેલ ચંદનના‌ વૃક્ષો કાપી તેના લાકડાની બે વખત ચોરી થઇ હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજ્યમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી-રાજ્યમાં હજુ 3 દિવસ સુધી રહેશે વરસાદી વાતાવરણ……

ProudOfGujarat

અંકલેશ્વર શોર્ય દિનની ઉજવણી ભાગરૂપે શ્રવણ વિદ્યાભવનના વિદ્યાર્થી અને શિક્ષકોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી

ProudOfGujarat

ઘાસની ગંજીઓમાં છુપાવી રાખેલો વિદેશી દારુના જથ્થા સાથે એકની અટક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!