Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકા કોંગ્રેસ દ્વારા ચીન સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા ભારતનાં વીર જવાનોને ચાર રસ્તા પર એકત્રિત થઈ શ્રદ્ધાંજલી અર્પિત કરી ચીનનાં પ્રધાનમંત્રીનું પૂતળું દહન કરી વિરોધ વ્યક્ત કરાયો હતો.

Share

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકા કોંગ્રેસ દ્વારા ચીન સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા ભારતનાં વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પિત કરાઇ હતી. તેમજ ચીનનાં પ્રધાનમંત્રીનું પૂતળું દહન કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. ચીન દ્વારા ભારત સાથે સરહદ પર કરાઇ રહેલી અવળ ચંડાઇનાં પડઘા હવે અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં પણ જોવા મળી રહ્યા છે. જેના ભાગરૂપે ઠેર ઠેર દેશની જનતાનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શુક્રવારનાં રોજ ભરૂચનાં નેત્રંગ ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા ચીન સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં કોંગી કાર્યકરોએ જિંનપિંગનાં પૂતળાનું દહન કર્યું હતું. તેમજ ચીન સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. નેત્રંગ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય વસાવા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણનાં અધ્યક્ષતામાં કાર્યકરોએ સરકાર પાસે વીર જવાનોની શહાદત એળે ન જાય એ માટે ચીન સાથે બદલો લેવા માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ! આ રીતે લાઈવ જોઈ શકશો

ProudOfGujarat

ગ્રીષ્માના હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી એ ભરૂચ કલેક્ટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જયદીપ ચૌહાણે મેનેજમેન્ટની પરીક્ષામાં દેશભરમાં 47 મો રેન્ક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!