Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાઈજર નદીમાં લગ્ન સમારોહથી પાછી ફરી રહેલી બોટ પલટી ખાઈ જતાં 100 લોકોનાં મોત

Share

નાઈજીરિયામાં એક બોટ પલટી જતાં મોટો અકસ્માત થયો હતો. ઉત્તર નાઈજીરીયામાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા રહેવાસીઓને લઈ જતી બોટ પલટી જતા લગભગ 100 લોકોના મોત થયા હતા.માહિતી અનુસાર પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઘટનામાં બચી ગયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. આ બોટ ઓવરલોડ થઈ જતાં પલટી જવાની પણ માહિતી મળી રહી છે. બોટમાં આશરે 300 લોકો સવાર હતા. અત્યાર સુધી 53 જ લોકોને બચાવી શકાય છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.

પોલીસ પ્રવક્તા ઓકાસાન્મી અજયીએ જણાવ્યું હતું કે પાડોશી નાઇજર નજીક કવારા રાજ્યમાં નાઇજર નદીમાં બોટ પલટી ગઇ હતી. “અમને જાણવા મળ્યું છે કે નાઈજર નદીમાં એક બોટ પલટી ગઈ હતી, જેમાં લગભગ 100 લોકોના મોત થયા છે. જો કે, સર્ચ ઓપરેશન ચાલુ છે અને મૃત્યુઆંક વધી શકે છે.”

Advertisement

નોંધનીય છે કે આ દુર્ઘટના નાઈજીરિયાની સૌથી મોટી નદીમાં થઈ હતી. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક લોકો અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં લાગેલા છે. ઉલ્લેખનીય છે કે નાઈજીરિયામાં આવો અકસ્માત થયો છે. અહીંના લોકો મોટાભાગે સ્થાનિક રીતે બનાવેલા જહાજોનો ઉપયોગ કરે છે, જેના કારણે આવા અકસ્માતો થતા રહે છે.


Share

Related posts

હાલોલ-વડોદરા હાઇવે ઉપરથી લાખોની કિંમતનો શરાબ ભરેલ ટ્રક ઝડપાઇ

ProudOfGujarat

ભરૂચ : વડોદરા મુંબઈ એક્સપ્રેસ – વે ના નિર્માણમાં થતી જમીન સંપાદનમાં થતા અન્યાય સામે જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કલેકટરને રજુઆત કરી.

ProudOfGujarat

ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસ એથલેટીક્સ ડિસ્કસ થ્રો માં બ્રોન્ઝ મેડલ મેળવી દર્શના પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!