Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાઇરસનાં સંક્રમણને નાથવા ગોધરા નગરપાલિકાની ધનિષ્ટ કામગીરી.

Share

પંચમહાલ જિલ્લા ગોધરા નગરપાલિકા દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે ધનિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના મુજબ ગોધરામાં આવેલ વિવિધ સોસાયટીઓ, ગલી મહોલ્લામાં ફોગીંગ અને સેનેટાઈઝરના છંટકાવથી વિસ્તારોને સેનેટાઈઝ કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા. ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મેલેરિયા વિભાગના સેનેટરી ઈન્સ્પેકટર અશોકભાઈ સોલંકી અને કિરણભાઈ ચૌહાણને ગોધરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફોગીંગ અને દવાઓ છંટકાવ કરવા માટે સુચના આપી હતી જેથી મેલેરિયા વિભાગની ટીમે ગોધરામાં આવેલ એસઆરપી પાછળ મીનાક્ષી સોસાયટી અને બજારાં પાર્ટી પ્લોટ તથા ડોડપા ફળિયા વિસ્તારમાં ફોગીંગ કરી દવાઓનાં છંટકાવથી સેનેટાઈઝ કરવામાં આવ્યા હતાં.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં નેત્રંગ વિસ્તારનાં 3 ડેમ ઓવરફલો થતાં આજુબાજુનાં ગામોને સાવચેત કરાયાં.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સરફુદ્દીન ગામે નર્મદા નદીનાં ઓવારે ખેલાયેલા ખૂની ખેલમાં આવ્યો નવો વળાંક…જાણો શું ?

ProudOfGujarat

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનું જિલ્લા સમાહર્તા દ્વારા ઉદ્ઘાટન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!