Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાઇરસનાં સંક્રમણને નાથવા ગોધરા નગરપાલિકાની ધનિષ્ટ કામગીરી.

Share

પંચમહાલ જિલ્લા ગોધરા નગરપાલિકા દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે ધનિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના મુજબ ગોધરામાં આવેલ વિવિધ સોસાયટીઓ, ગલી મહોલ્લામાં ફોગીંગ અને સેનેટાઈઝરના છંટકાવથી વિસ્તારોને સેનેટાઈઝ કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા. ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મેલેરિયા વિભાગના સેનેટરી ઈન્સ્પેકટર અશોકભાઈ સોલંકી અને કિરણભાઈ ચૌહાણને ગોધરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફોગીંગ અને દવાઓ છંટકાવ કરવા માટે સુચના આપી હતી જેથી મેલેરિયા વિભાગની ટીમે ગોધરામાં આવેલ એસઆરપી પાછળ મીનાક્ષી સોસાયટી અને બજારાં પાર્ટી પ્લોટ તથા ડોડપા ફળિયા વિસ્તારમાં ફોગીંગ કરી દવાઓનાં છંટકાવથી સેનેટાઈઝ કરવામાં આવ્યા હતાં.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સર્વોદય નગર નજીક ફટાકડાની ચિંગારી થી તાડના ઝાડ પર આગ લાગતા ભય નો માહોલ છવાઈ ગયો હતો.

ProudOfGujarat

સાહેબ પાર્કિંગ ક્યાં છે..? ભરૂચ -અંકલેશ્વરમાં ગાડીઓ લોક મારી દંડ વસુલતી પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલ

ProudOfGujarat

ઝઘડિયા જી.આઇ.ડી.સી. ની એશિયન ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ ફેલાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!