Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા લોકડાઉનના જાહેરનામાનો ભંગ બદલ અત્યાર સુધી ૨૩૭ લોકો સામે ફરિયાદ

Share

સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં રાજ્ય સહિત જિલ્લાભરમાં કેટલાક લોકોમાં ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે કડક અમલ વચ્ચે પણ લોકો હજુ પણ બહાર નીકળી રહ્યા છે. તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામા આવી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના રેન્જ નાયબ પોલીસ મહાનિર્દેશક એમ એસ ભરાડા તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ અને નાયબ પોલીસ અધિક્ષક આર આઈ દેસાઈ લોકડાઉનની સખ્ત અમલવારી માટે (ઉડતીઆંખ) ડ્રોનની મદદથી બહાર નીકળતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને જાહેરનામાનાં ભંગ કરનારાઓ સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે. મળતી માહીતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત તાલુકાઓમાં લોકડાઉન ના પ્રથમ દિવસથી આજ દિન સુધી જાહેરનામાનો ભંગ કરનાર, અનઅધિકૂત ભેગા થયેલ અને જાહેરમાં પાન બીડી ની દુકાન ચાલુ રાખનાર સહિત કુલ ૨૩૭ શખ્સોની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે ત્યારે એ અને બી ડિવીઝન પોલીસ સ્ટાફ એલસીબી પોલીસના પીઆઈ ડી એન ચુડાસમા, પીઆઈ એમ. કે. ખાંટ પીએસઆઇ એન.એમ.રાવત, ડી.જી. વહોનિયા, એલ.એસ.પટેલ અને શહેરા પોલીસ મથકના પીઆઈ એન.એમ.પ્રજાપતિ, પીએસઆઇ કે.પી.ઝાલા, જે.કે.ભરવાડ અને શહેરા પોલીસ સ્ટાફ ની ટીમ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનની અમલવારી માટે સધન પેટ્રોલીંગ કરી રહ્યા છે.સાથે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામા આવી રહ્યોછે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરી તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતાં મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાયું

ProudOfGujarat

સામાન્ય આહાર પદ્ધતિ કે રસોઈની રીતમાં ફેરફાર કર્યા વિના જ સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ દૂર કરવા સંકલ્પ

ProudOfGujarat

ભરૂચ શહેરમાં લોક ડાઉન 4 માં મળેલી છૂટને પગલે ફરીવાર શહેરમાં વાહન વ્યવહાર ધમધમતો થતાં વિવિધ રસ્તા ઉપર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!