Proud of Gujarat
FeaturedGujaratINDIA

તૌકતે વાવાઝોડા બાદ નર્મદા જિલ્લામાં નાશ પામેલા મકાનો અને પશુ મૃત્યુના કિસ્સામાં જિલ્લા પંચાયત તરફથી રોકડ રકમની સહાય કરાઈ.

Share

રાજપીપલા : તાજેતરમાં ગુજરાતમાં “ તાઉ-તે “ વાવાઝોડાના પગલે અને તેની અસરના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ પશુ મૃત્યુનો એક કિસ્સો નોંધાવાની સાથે બે કાચા મકાનો સંપૂર્ણ નાશ પામવા ઉપરાંત ૧૪૪ કાચા મકાનો અંશત: તથા ૨૩ પાકા મકાનો પણ અંશત: નાશ પામેલ છે. આમ, જિલ્લામાં કુલ-૧૬૯ જેટલા કાચા/પાકા મકાનો સંપૂર્ણ/અંશત: નાશ થયા હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પંચાયત તરફથી પ્રાપ્ત થયેલ છે. તે પૈકી સરકારના ધારાધોરણ મુજબ ૧૧૯ કિસ્સામાં ચૂકવવાપાત્ર થતી સહાયની રકમના ચેકો દ્વારા સંબંધિત તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ મારફત અસરગ્રસ્ત પરિવારોને ચૂકવણું કરવામાં આવ્યું છે.

તદ્અનુસાર, જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગંભીરપુરા ગામે નોંધાયેલ પશુ મૃત્યુના એક કિસ્સામાં પશુપાલકને રૂા. ૨૫૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે સંપૂર્ણ નાશ પામેલ બે કાચા મકાન, અંશત: નાશ પામેલ ૧૪૪ મકાન અને અંશત: નાશ પામેલ ૨૩ પાકા મકાનો મળી કુલ-૧૬૯ મકાનોનો સર્વે કરાયો હતો, તે પૈકી મંજૂરીપાત્ર ૧૧૯ જેટલા અસરગ્રસ્ત પરિવારોને કુલ રૂા. ૪,૭૧,૯૬૫/- ની સહાય ચૂકવવામાં આવી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

લાખો ગરબા ખેલૈયાઓને મોટો ઝટકો – આ વર્ષે નહિ યોજાય ગુજરાતના સૌથી મોટા ગરબા.

ProudOfGujarat

ઝઘડીયા નજીક ગેરકાયદેસર રીતે ૧૪ પશુઓ ભરીને જતી ટ્રક ઝડપાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર: સંજાલી શુભમ સોસાયટીમાં બે મકાનો માં ૧ લાખ ૮૦ હજાર ઉપરાંતનો હાથફેરો કરી તસ્કરો ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!