Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ શહેરામાં તળાવમાં નાહવા પડેલા બે તરુણોના ડૂબી જવાથી કરુણ મોત, એકનો બચાવ

Share

પંચમહાલ જીલ્લાના શહેરા નગરના આવેલા તળાવમા બપોરના અરસામા નાહવા પડેલા ત્રણ તરુણો પૈકી બેના મોત નિપજ્યા હતા. જ્યારે એકનો બચાવ થયો હતો. જેને લઇને પરિવારજનો માં ગમનો માહોલ છવાયો હતો. મળતી માહિતી અનૂસાર શહેરાનગરના એક વિસ્તારમા રહેતા ત્રણ તરુણો બપોરના અરસામા તળાવમા નાહવા પડેલ હતા. જેમા ત્રણેય ઉંડા પાણીમા ગરકાવ થતા બુમાબુમ કરવા માડી હતી. જેને પગલે સ્થાનિકોએ તેમને બચાવી લીધા હતા. તેમને હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જયા બે તરુણોને મૃત ઘોષિત કરવામા આવ્યા હતા. એકનો બચાવ થયો હતો. આ મામલે પોલીસ દ્રારા પણ જરુરી કાર્યવાહી હાથ ધરવામા આવી છે. પોતાના વ્હાલા સોયા સંતાનોને પગલે પરિવારજનોમાં પણ રોકકળનુ વાતાવરણ છવાઇ ગયુ હતુ.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં આઠ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

ચકચારી દહેજ લાંચ કેસમાં GST ના નાસ્તા ફરતા પ્રિવેન્ટિવ ઓફિસરની ACB દ્વારા ધરપકડ…

ProudOfGujarat

આઈપીએલમાં ફરી કોરોનાની એન્ટ્રી: સનરાઇઝર્સનો ફાસ્ટ બોલર ટી.નટરાજન કોરોના પોઝિટિવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!